-
આવક વેરા વિભાગના જણાવ્યાં પ્રમાણે, વિભાગ દ્વારા 900 બેનામી મિલ્કતો એટેચ એટલે કે ટાંચમાં લેવામાં આવી છે. આ મિલકતોમાં ફલેટ, દુકાનો, જર-જવેરાત, અને જુદા જુદા વાહનોનો સમાવેશ થાય છે, જેની અંદાજીત કિંમત 35 બિલિયન રૂપિયા થવા જાય છે. એક નિવેદનમાં વિભાગના સત્તાવાળાઓએ જણાવ્યું કે વિભાગે બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન એક્ટની જોગવાઇ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાયદો 1,નવે. 2016થી અમલમાં છે. આ કાયદામાં એવી જોગવાઇ છે કે જંગમ અને સ્થાવર બેનામી મિલ્કતોને ટાંચમાં લેવાની આવક વેરા વિભાગને સત્તા મળે છે. વિભાગ દ્વારા તે માટે 24 યુનિટની રચના કરવામાં આવી છે.
-
આવક વેરા વિભાગના જણાવ્યાં પ્રમાણે, વિભાગ દ્વારા 900 બેનામી મિલ્કતો એટેચ એટલે કે ટાંચમાં લેવામાં આવી છે. આ મિલકતોમાં ફલેટ, દુકાનો, જર-જવેરાત, અને જુદા જુદા વાહનોનો સમાવેશ થાય છે, જેની અંદાજીત કિંમત 35 બિલિયન રૂપિયા થવા જાય છે. એક નિવેદનમાં વિભાગના સત્તાવાળાઓએ જણાવ્યું કે વિભાગે બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન એક્ટની જોગવાઇ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાયદો 1,નવે. 2016થી અમલમાં છે. આ કાયદામાં એવી જોગવાઇ છે કે જંગમ અને સ્થાવર બેનામી મિલ્કતોને ટાંચમાં લેવાની આવક વેરા વિભાગને સત્તા મળે છે. વિભાગ દ્વારા તે માટે 24 યુનિટની રચના કરવામાં આવી છે.