જમ્મુ-કાશ્મીરમાં સેનાના ઑપરેશન ઓલઆઉટથી ગિન્નાયેલા આતંકીઓએ વધુ એક પોલીસકર્મી જાવેદ અહેમદ ડારનું અપહરણ કરી તેની હત્યા કરી દીધી છે. ડારનો મૃતદેહ કુલગામના પરિવાનમાં મળ્યો છે. કૉન્સ્ટેબલ ડાર દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં તૈનાત હતા. આતંકીઓએ ડારને શોપિયાના કચડુરા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરની બહાર અપહરણ કર્યું હતું. આપને જણાવી દઇએ કે આની પહેલાં આતંકીઓએ થોડાંક દિવસ પહેલાં જ 44મા રાષ્ટ્રીય રાઇફલ્સના જવાન ઔરંગબેઝનું અપહરણ કરીને તેની હત્યા કરી દીધી હતી.
જમ્મુ-કાશ્મીરમાં સેનાના ઑપરેશન ઓલઆઉટથી ગિન્નાયેલા આતંકીઓએ વધુ એક પોલીસકર્મી જાવેદ અહેમદ ડારનું અપહરણ કરી તેની હત્યા કરી દીધી છે. ડારનો મૃતદેહ કુલગામના પરિવાનમાં મળ્યો છે. કૉન્સ્ટેબલ ડાર દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં તૈનાત હતા. આતંકીઓએ ડારને શોપિયાના કચડુરા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરની બહાર અપહરણ કર્યું હતું. આપને જણાવી દઇએ કે આની પહેલાં આતંકીઓએ થોડાંક દિવસ પહેલાં જ 44મા રાષ્ટ્રીય રાઇફલ્સના જવાન ઔરંગબેઝનું અપહરણ કરીને તેની હત્યા કરી દીધી હતી.