વરિષ્ઠ પત્રકાર જ્યોર્તિમય ડે ઉર્ફ જેડે હત્યા કેસમાં સ્પેશિયલ મકોકા કોર્ટે બુધવારે અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સહિત ૯ને દોષિત ઠેરવી તેમને જનમટીપની સજા ફટકારી હતી. છોટા રાજને જ જેડેની હત્યા કરાવવા કાવતરું રચ્યું હોવાનું સિદ્ધ થતાં તેને અન્ય ૮ આરોપીઓ સાથે દોષિત ઠેરવાયો હતો. આ કેસમાં કુલ ૧૩ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. એક આરોપી વિનોદ અસરાની ઉર્ફે વિનોદ ચેમ્બૂરનું જેલમાં બીમારીને કારણે મૃત્યુ થયું હતું જ્યારે એક આરોપી નારાયણ બિશ્ટ હજી ફરાર છે. પત્રકાર જિજ્ઞા વોરા અને જોસેફ પોલ્સનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં હતાં.
વરિષ્ઠ પત્રકાર જ્યોર્તિમય ડે ઉર્ફ જેડે હત્યા કેસમાં સ્પેશિયલ મકોકા કોર્ટે બુધવારે અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સહિત ૯ને દોષિત ઠેરવી તેમને જનમટીપની સજા ફટકારી હતી. છોટા રાજને જ જેડેની હત્યા કરાવવા કાવતરું રચ્યું હોવાનું સિદ્ધ થતાં તેને અન્ય ૮ આરોપીઓ સાથે દોષિત ઠેરવાયો હતો. આ કેસમાં કુલ ૧૩ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. એક આરોપી વિનોદ અસરાની ઉર્ફે વિનોદ ચેમ્બૂરનું જેલમાં બીમારીને કારણે મૃત્યુ થયું હતું જ્યારે એક આરોપી નારાયણ બિશ્ટ હજી ફરાર છે. પત્રકાર જિજ્ઞા વોરા અને જોસેફ પોલ્સનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યાં હતાં.