કાશ્મીર ખીણમાં સતત વરસાદથી ઘણાં સ્થળે ભૂસ્ખલન થતાં શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહનવ્યવહાર બંધ કરાયો છે. શ્રીનગર-લેહ અને મુઘલ રોડ પર વાહનવ્યવહાર ચાલુ છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, ભારે વરસાદને કારણે રામબન વિસ્તારમાં ભૂસ્ખલન થવાને કારણે કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગને જોડતા ત્રણસો કિલોમીટર લાંબા શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ વાહનવ્યવહાર બંધ કરાયો છે. હાઈવે પરથી પથ્થરો ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે.