-
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયાના રાજીનામાથી ખાલી પડેલી વિધાનસભાની જસદણ બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે 73 ટકા જેટલું મતદાન થયું હતું. ડિસે. 2017માં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં જસદણ બેઠક માટે 73.44 ટકા મતદાન થયું હતું. આજે સવારના 8 વાગ્યાથી જ જસદણ બેઠક માટે 262 મતદાન મથકોમાં મતદાન હાથ ધરાયું હતું. પેટા ચૂંટણી માટે 2,32,116 મતદારો નોંધાયા હતા. તેમાંથી 73 ટકા મતદારોએ પોતાની મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તે સાથે જ બન્ને મુખ્ય રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાભરી આ બેઠકનું પરિણામ 23મીએ જાહેર થશે. કોઇ ચૂંટણીલક્ષી હિંસાનો બનાવ બન્યો નથી. મતદાન બાદ કુંવરજી અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા.
-
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયાના રાજીનામાથી ખાલી પડેલી વિધાનસભાની જસદણ બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે 73 ટકા જેટલું મતદાન થયું હતું. ડિસે. 2017માં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં જસદણ બેઠક માટે 73.44 ટકા મતદાન થયું હતું. આજે સવારના 8 વાગ્યાથી જ જસદણ બેઠક માટે 262 મતદાન મથકોમાં મતદાન હાથ ધરાયું હતું. પેટા ચૂંટણી માટે 2,32,116 મતદારો નોંધાયા હતા. તેમાંથી 73 ટકા મતદારોએ પોતાની મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તે સાથે જ બન્ને મુખ્ય રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાભરી આ બેઠકનું પરિણામ 23મીએ જાહેર થશે. કોઇ ચૂંટણીલક્ષી હિંસાનો બનાવ બન્યો નથી. મતદાન બાદ કુંવરજી અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા.