જસદણની પેટા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિની (પાસ) ટીમે તનતોડ મહેનત કરી ઠેર ઠેર ગામડાંઓમાં ફરી વળ્યા હતા, જોકે પાસ ટીમ એવું કંઈ ઉકાળી શકી નથી કે જેનો લાભ કોંગ્રેસને મળે. પાસ કન્વીનર હાર્દિક પટેલે જ 13મી ડિસેમ્બરે જસદણના રૂપાવટી ગામે ખેડૂત જનસભા યોજી હતી, જેમાં 10 હજારની સંખ્યા એકત્ર થઈ હતી, જોકે જસદણમાં કોંગ્રેસની ભૂંડી રીતે હાર થઈ છે. આમ પાટીદાર સમાજને નામે લડનારા આગેવાનોને જ ગામડાંઓમાંથી પ્રજાએ જાકારો આપ્યો હોવાનું ચિત્ર સામે આવ્યું છે. પાસને આ ચૂંટણીમાં ફટકો પડયો છે.
જસદણની પેટા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિની (પાસ) ટીમે તનતોડ મહેનત કરી ઠેર ઠેર ગામડાંઓમાં ફરી વળ્યા હતા, જોકે પાસ ટીમ એવું કંઈ ઉકાળી શકી નથી કે જેનો લાભ કોંગ્રેસને મળે. પાસ કન્વીનર હાર્દિક પટેલે જ 13મી ડિસેમ્બરે જસદણના રૂપાવટી ગામે ખેડૂત જનસભા યોજી હતી, જેમાં 10 હજારની સંખ્યા એકત્ર થઈ હતી, જોકે જસદણમાં કોંગ્રેસની ભૂંડી રીતે હાર થઈ છે. આમ પાટીદાર સમાજને નામે લડનારા આગેવાનોને જ ગામડાંઓમાંથી પ્રજાએ જાકારો આપ્યો હોવાનું ચિત્ર સામે આવ્યું છે. પાસને આ ચૂંટણીમાં ફટકો પડયો છે.