અમુલ ડેરીના એમડી કે. રત્નમ દ્વારા રાજીનામું અપાયાં પછી આણંદ અમુલ ડેરીનાં મેનેજીંગ ડિરેક્ટર તરીકેનો ચાર્જ જયેન મહેતાને સોંપાયો છે. જયેન મહેતા ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનમાં સિનિયર જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. હવે તેઓ આણંદસ્થિત અમૂલ ડેરીના એમડીની જવાબદારી પણ સંભાળશે. કરોડોના ભ્રષ્ટાચારના આરોપ પછી રત્નમે એમડીપદેથી 31 માર્ચે રાજુનામું આપ્યું હતું.