સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોબાઇલ ફોનનંબર અને બેન્કખાતાઓ સાથે આધાર નંબર જોડવાના સરકારના આદેશ પર મનાઈહુકમ કે વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, નવેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં સુપ્રીમની બંધારણીય બેન્ચ દ્વારા આ મામલા પર નિર્ણય લેવાશે. શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જો મોબાઇલ નંબર અથવા બેન્કખાતાં સાથે આધાર નંબર જોડવામાં નહીં આવે તો તેમનાં ખાતાં કે ફોનનંબર બંધ કરી દેવાશે તેવા મેસેજ ગ્રાહકોને મોકલી ભયનું વાતાવરણ સર્જી રહેલી બેન્કો અને મોબાઇલ ફોનકંપનીઓને આડે હાથ લીધી હતી, જોકે, કેન્દ્ર સરકારે આ પ્રકારના મેસેજ મોકલાતા હોવાનો ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોબાઇલ ફોનનંબર અને બેન્કખાતાઓ સાથે આધાર નંબર જોડવાના સરકારના આદેશ પર મનાઈહુકમ કે વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, નવેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં સુપ્રીમની બંધારણીય બેન્ચ દ્વારા આ મામલા પર નિર્ણય લેવાશે. શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જો મોબાઇલ નંબર અથવા બેન્કખાતાં સાથે આધાર નંબર જોડવામાં નહીં આવે તો તેમનાં ખાતાં કે ફોનનંબર બંધ કરી દેવાશે તેવા મેસેજ ગ્રાહકોને મોકલી ભયનું વાતાવરણ સર્જી રહેલી બેન્કો અને મોબાઇલ ફોનકંપનીઓને આડે હાથ લીધી હતી, જોકે, કેન્દ્ર સરકારે આ પ્રકારના મેસેજ મોકલાતા હોવાનો ઇનકાર કર્યો હતો.