-
મુંબઇના પત્રકાર જે. ડેની હત્યાના કેસમાં મકોકા કોર્ટે 11 આરોપીઓમાંથી ગેંગસ્ટર છોટા રાજન સહિત 9 જણાંને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય પત્રકાર જિજ્ઞા વોરા અને જોસેફ પોલસનને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુક્મ કર્યો છે. સરકાર પક્ષે કોર્ટને જણાવાયું હતું કે પત્રકાર જે. ડે દાઉદના ઇશારે છોટા રાજનની વિરૂધ્ધ લખતાં હોવાથી રાજનના ઇશારે જે.ડેની હત્યા થઇ હતી.11 જૂન 2011ના રોજ પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યા થઇ હતી. છોટા રાજન હાલ ભારતની જેલમાં જ છે અને આ કેસમાં તેઓ પ્રથમવાર સજા કાપશે.
-
મુંબઇના પત્રકાર જે. ડેની હત્યાના કેસમાં મકોકા કોર્ટે 11 આરોપીઓમાંથી ગેંગસ્ટર છોટા રાજન સહિત 9 જણાંને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય પત્રકાર જિજ્ઞા વોરા અને જોસેફ પોલસનને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુક્મ કર્યો છે. સરકાર પક્ષે કોર્ટને જણાવાયું હતું કે પત્રકાર જે. ડે દાઉદના ઇશારે છોટા રાજનની વિરૂધ્ધ લખતાં હોવાથી રાજનના ઇશારે જે.ડેની હત્યા થઇ હતી.11 જૂન 2011ના રોજ પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યા થઇ હતી. છોટા રાજન હાલ ભારતની જેલમાં જ છે અને આ કેસમાં તેઓ પ્રથમવાર સજા કાપશે.