-
સુપ્રિમ કોર્ટ દ્વારા જસ્ટીસ લોયા કેસનો ચુકાદો આપતા જણાવાયું હતું કે જસ્ટીસ લોયાનું નિધન કુદરતી રીતે થયું હતું. તેમની સાથે તે વખતે રહેલા 3 સાથી જજોની જુબાની લેવામાં નહીં આવે. કેમ કે તેમને ફરીથી જુબાની લેવી એટલે આ જજોની નિષ્ઠા પ્રત્યે શંકા સેવવા સમાન છે. કોર્ટે એવું પણ અવલોકન કર્યું કે રાજકીય હિસાબકિતાબ માટે આ જાહેર હિતની અરજી કરવામાં આવી હોવાનું સમજાય છે. કોર્ટ કાંઇ આવી બાબતો માટે નથી. આવી રીટ કરીને કોર્ટનો સમય બગાડ્યો છે અને તે બદલ અરજી કરનારાઓની સામે કોર્ટના અવમાનનો કેસ કરવો જોઇએ.નોંધનીય છે કે જાણીતાં વકીલ દુષ્યંત દવે, પ્રશાંત ભૂષણ,ઇન્દિરા જયસિંહ દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે મુંબઇ સીબીઆઇ કોર્ટમાં જસ્ટીસ લોયાની કોર્ટમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી ચાલી રહી હતી. જેમાં ગુજરાતના તે વખતના ગૃહમંત્રી અમિત શાહ પણ આરોપી હતા. અને નાગપુર ખાતેે 014માં એક લગ્ન પ્રસંગમાં ગયેલા જસ્ટીસ લોયાનું નિધન થયું હતું. જે શંકાસ્પદ છે એમ કહીને તેમના નિધનની તપાસની માંગ કરવામાં આવી હતી.
-
સુપ્રિમ કોર્ટ દ્વારા જસ્ટીસ લોયા કેસનો ચુકાદો આપતા જણાવાયું હતું કે જસ્ટીસ લોયાનું નિધન કુદરતી રીતે થયું હતું. તેમની સાથે તે વખતે રહેલા 3 સાથી જજોની જુબાની લેવામાં નહીં આવે. કેમ કે તેમને ફરીથી જુબાની લેવી એટલે આ જજોની નિષ્ઠા પ્રત્યે શંકા સેવવા સમાન છે. કોર્ટે એવું પણ અવલોકન કર્યું કે રાજકીય હિસાબકિતાબ માટે આ જાહેર હિતની અરજી કરવામાં આવી હોવાનું સમજાય છે. કોર્ટ કાંઇ આવી બાબતો માટે નથી. આવી રીટ કરીને કોર્ટનો સમય બગાડ્યો છે અને તે બદલ અરજી કરનારાઓની સામે કોર્ટના અવમાનનો કેસ કરવો જોઇએ.નોંધનીય છે કે જાણીતાં વકીલ દુષ્યંત દવે, પ્રશાંત ભૂષણ,ઇન્દિરા જયસિંહ દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે મુંબઇ સીબીઆઇ કોર્ટમાં જસ્ટીસ લોયાની કોર્ટમાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી ચાલી રહી હતી. જેમાં ગુજરાતના તે વખતના ગૃહમંત્રી અમિત શાહ પણ આરોપી હતા. અને નાગપુર ખાતેે 014માં એક લગ્ન પ્રસંગમાં ગયેલા જસ્ટીસ લોયાનું નિધન થયું હતું. જે શંકાસ્પદ છે એમ કહીને તેમના નિધનની તપાસની માંગ કરવામાં આવી હતી.