ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કરણી સેના અને પાટીદાર નેતાઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જોકે બેઠક અંગે ગુપ્તતા રાખવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. આ બેઠકમાં કરણી સેનાના ગુજરાતના નેતા રાજ શેખાવત, શંકરસિંહ વાઘેલા જૂથના યજ્ઞેશ દવે ઉપરાંત પૂર્વ આઈપીએસ ડીજી વણઝારા પણ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં સરકાર સામેના વિવિઘ પગલાં અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે.