કાશ્મીરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારની હત્યાનો મામલો હજી શાંત થયો નથી. ત્યાં જમ્મુ-કાશ્મીરની સરકારમાં મંત્રી રહી ચુકેલા ભાજપના ધારાસભ્ય ચૌધરી લાલસિંહે પોતાના નિવેદનથી વિવાદ ઉભો કર્યો છે. ભાજપના નેતા લાલસિંહે પત્રકારોને વાતવાતમાં જ ચેતવણી આપી દીધી છે. ચૌધરી લાલસિંહે પત્રકારોને ચેતવણી આપી છે કે કાશ્મીરના પત્રકારોએ અયોગ્ય માહોલ પેદા કર્યો હતો. તેમના નિવેદનથી વિવાદ સર્જાયો છે.