મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને ભારતના અનેક પ્રયાસો છતા પાકિસ્તાને છોડી મુક્યો છે. પાકિસ્તાનની સ્થાનીક કોર્ટે હાફિઝ સઇદને છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે તેને અંતે પાકિસ્તાનની સરકારે છોડી મુક્યો હતો. નજર કેદમાંથી છૂટયાની સાથે જ સઇદે ઝેર ઓક્યું હતું અને કાશ્મીરીઓને ઉશ્કેર્યા હતા. તેણે કહ્યું હતું કે કાશ્મીરને તો આઝાદ કરીને જ રહીશ.