-
હિન્દુ ધર્મના આસ્થા બિંદુ સમાન ચાર ધામ યાત્રા પૈકી કેદારનાથમાં ભારે બરફ વર્ષાને કારણે યાત્રા રોકી દેવામાં આવી છે. યાત્રાળુઓને લિંચૌલી અને ભીમબલી ખાતે રોકી દેવામાં આવ્યાં છે. કેદારનાથ વિસ્તારમાં 2થી3 ઇંચ બરફવર્ષા થઇ રહી છે. જે યાત્રાળુઓ ફસાયા છે તેમાં ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત,કોંગ્રેસના સાંસદ પ્રદીપ ટીમ્ટા અને સ્થાનિક ધારાસભ્ય મનોજ રાવતનો સમાવેશ થાય છે. જ્યાં સુધી હવામાન સારૂ ના થાય ત્યાં સુધી યાત્રા રોકવામાં આવશે. દરમ્યાનમાં ખરાબ હવામાનને કારણે બે યાત્રિકોના મોત થયાના સમાચાર છે.
-
હિન્દુ ધર્મના આસ્થા બિંદુ સમાન ચાર ધામ યાત્રા પૈકી કેદારનાથમાં ભારે બરફ વર્ષાને કારણે યાત્રા રોકી દેવામાં આવી છે. યાત્રાળુઓને લિંચૌલી અને ભીમબલી ખાતે રોકી દેવામાં આવ્યાં છે. કેદારનાથ વિસ્તારમાં 2થી3 ઇંચ બરફવર્ષા થઇ રહી છે. જે યાત્રાળુઓ ફસાયા છે તેમાં ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત,કોંગ્રેસના સાંસદ પ્રદીપ ટીમ્ટા અને સ્થાનિક ધારાસભ્ય મનોજ રાવતનો સમાવેશ થાય છે. જ્યાં સુધી હવામાન સારૂ ના થાય ત્યાં સુધી યાત્રા રોકવામાં આવશે. દરમ્યાનમાં ખરાબ હવામાનને કારણે બે યાત્રિકોના મોત થયાના સમાચાર છે.