કેરળમાં આવેલા પુરથી ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને ર૦ અબજનું નુકસાન થયુ હોવાની શક્યતા છે. મુન્નર અને વેઆનદ જેવા હિલ સ્ટેશનની પ્રોપર્ટીને સૌથી વધારે નુકસાન થયુ છે. તેની સાથે રોડ કનેક્ટિવિટીને પણ માઠી અસર થઈ છે. રાજ્યમાં કેરળ ટ્રાવેલ માર્ટ 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બરની વચ્ચે શરૂ થવાનું છે જેમાં ટુરિસ્ટ અને એજન્ટને આ જગ્યા સુરક્ષિત છે એવી ખાતરી આપવી પડશે.