-
જમ્મુ-કાશમીરમાં ભારતીય લશ્કરના એક જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને તેને રિબાવી રિબાવીને મારનાર આતંકવાદીઓને જે કોઇ ઠાર કરશે તેમને ભાજપના સાંસદ પ્રવેશ સાહિબ અને અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિરસાએ 21 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આતંકીઓએ જે જવાનની હત્યા કરી તે ત્યાંના હિજબુલ કમાન્ડર સમીર ટાઇગરને ઠાર મારનાર લશ્કરી ટુકડીનો એક સભ્ય હતો. સામાન્ય રીતે આવી માહિતી લશ્કર દ્વારા ગોપનીય રખાય છે. તેમ છતાં ત્યાંના આતંકી સંગઠનને જાણ થઇ કે ઔરંગઝેબ પણ તેમાં હતો. અને લશ્કરને તથા સરકારને જવાબ આપવા તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ 21 લાખનું ઇનામ લશ્કરની જે કોઇ ટુકડીને મળે તેમ છે.
-
જમ્મુ-કાશમીરમાં ભારતીય લશ્કરના એક જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને તેને રિબાવી રિબાવીને મારનાર આતંકવાદીઓને જે કોઇ ઠાર કરશે તેમને ભાજપના સાંસદ પ્રવેશ સાહિબ અને અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિરસાએ 21 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આતંકીઓએ જે જવાનની હત્યા કરી તે ત્યાંના હિજબુલ કમાન્ડર સમીર ટાઇગરને ઠાર મારનાર લશ્કરી ટુકડીનો એક સભ્ય હતો. સામાન્ય રીતે આવી માહિતી લશ્કર દ્વારા ગોપનીય રખાય છે. તેમ છતાં ત્યાંના આતંકી સંગઠનને જાણ થઇ કે ઔરંગઝેબ પણ તેમાં હતો. અને લશ્કરને તથા સરકારને જવાબ આપવા તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ 21 લાખનું ઇનામ લશ્કરની જે કોઇ ટુકડીને મળે તેમ છે.