સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઈરાનીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ચાર વર્ષ પૂરાં થતાં આ સમય દરમિયાન કાપડ મંત્રાલયે કરેલાં કામો અને સિદ્ધિઓ અંગે સુરતમાં એક કાર્યક્રમમાં વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રની સરકારના આ 40 મહિનાના કાર્યકાળ દરમિયાન જન ધન નામની બહુ મહત્ત્વની યોજના શરૂ કરવામાં આવી, જેમાં 31 કરોડથી વધુ લોકોને બેન્ક સાથે જોડવામાં સફળતા મળી.