Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીનું કહેવું છે કે, તેમનું દિલ અને તેમની આત્મા હંમેશા બેંગલુરૂની સાથે રહી. આરસીબીએ મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં પંજાબ કિંગ્સને છ રનથી હરાવીને પહેલીવાર આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો. કોહલી આઈપીએલની શરૂઆતથી જ આરસીબી ફ્રેન્ચાઈઝીનો ભાગ રહ્યા છે અને અંતે 18મી સીઝનમાં તેઓ આઈપીએલની ટ્રોફી ઉઠાવી શક્યો.
કોહલીએ આરસીબીની જીત બાદ બ્રોડકાસ્ટરને કહ્યું કે, આ ભાવનાત્મક રીતે, રેડ આર્મી મારી પાછળ બેઠી છે. આ ક્ષણ અવિશ્વસનીય છે. આ જીત પ્રશંસકો માટે એટલી જ મહત્ત્વપૂર્ણ છે જેટલી ટીમ માટે. 18 વર્ષ થઈ ગયા છે. હું આ ટીમને પોતાના કરિયરનો શરૂઆતના સમય, પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ સમય અને હવે પોતાનો અનુભવ આપ્યો છે. દરેક સીઝનમાં મેં ટીમને જીત અપાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. અંતે એ ક્ષણ આવી, આ એક અવિશ્વસનીય અનુભવ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ