Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫”નો રાજ્ય કક્ષાનો ઉજવણી સમારોહ આજે તા. ૫ જૂનના રોજ મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે યોજાયો છે. આ સમારોહમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહ્યાં છે.
વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી સમારોહ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નવા સચિવાલય-ગાંધીનગર ખાતે “માતૃવન – વન કવચ” મિયાવાકી જંગલનું ભૂમિપૂજન થયુ છે. તદુપરાંત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીના હસ્તે પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયક્લિંગ સોલ્યુશન્સના પ્રદર્શનનું લોકાર્પણ થયુ છે. ઉજવણી સમારોહ દરમિયાન મુખ્યમંત્રી વિવિધ પર્યાવરણીય તેમજ વન વિભાગના નવીન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ભૂમીપૂજન કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ