બુધવારે બેંગલુરુમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગની ઘટનામાં લગભગ 11 લોકોના મોત થયાની પુષ્ટી થઈ છે. આ દુર્ઘટના અંગે આરસીબીના દિગ્ગજ વિરાટ કોહલીની પ્રતિક્રિયા સામે આવી છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે આ ઘટના બાદ હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું અને મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી.વિરાટ કોહલીએ આ સાથે આરસીબીનું સત્તાવાર નિવેદન શેર કર્યું હતું.