-
બિહારના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવનાર 900 કરોડના ઘાસચારા કૌભાંડમાં તે વખતના મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ આ અંગેના વધુ એક કેસમાં દોષિત જાહેર કરાયા છે. રાંચીની કોર્ટ દ્વારા આજે 23મીએ ચુકાદો જાહેર કરાયો ત્યારે અન્ય આરોપીઓને એક પછી એક નિર્દોષ જાહેર કરાયા બાદ લાલુપ્રસાદનો વારો આવતાં તેમને દોષિત જાહેર કરાતાં તેમણે એમ કહ્યું કે આ શું..આ કઇ રીતે થાય..જો કે કોર્ટે તેમને દોષિત ઠરાવતાં આવા કેસમાં મહત્તમ 6 વર્ષની સજાની જોગવાઇ હોવાથી 3 જાન્યુ.ના રોજ સજા જાહેર થશે. નોંધનીય છે કે અગાઉના આ જ કેસમાં તેમને 5 વર્ષની સજા થઇ છે અને તેઓ કોઇ ચૂંટણી લડી શકે તેમ નથી. તેમની સામે હજુ 3 કેસ બાકી છે.
-
બિહારના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવનાર 900 કરોડના ઘાસચારા કૌભાંડમાં તે વખતના મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ આ અંગેના વધુ એક કેસમાં દોષિત જાહેર કરાયા છે. રાંચીની કોર્ટ દ્વારા આજે 23મીએ ચુકાદો જાહેર કરાયો ત્યારે અન્ય આરોપીઓને એક પછી એક નિર્દોષ જાહેર કરાયા બાદ લાલુપ્રસાદનો વારો આવતાં તેમને દોષિત જાહેર કરાતાં તેમણે એમ કહ્યું કે આ શું..આ કઇ રીતે થાય..જો કે કોર્ટે તેમને દોષિત ઠરાવતાં આવા કેસમાં મહત્તમ 6 વર્ષની સજાની જોગવાઇ હોવાથી 3 જાન્યુ.ના રોજ સજા જાહેર થશે. નોંધનીય છે કે અગાઉના આ જ કેસમાં તેમને 5 વર્ષની સજા થઇ છે અને તેઓ કોઇ ચૂંટણી લડી શકે તેમ નથી. તેમની સામે હજુ 3 કેસ બાકી છે.