-
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પક્ષના સર્વેસર્વા લાલુપ્રસાદ યાદવને રાંચીની સીબીઆઇ કોર્ટ દ્ધારા વધુ એક ઘાસચારા કૌભાંડમાં કસૂરવાર ઠેરવવામાં આવ્યાં છે. જો કે કેટલા વર્ષની સજા થશે તે કોર્ટ હવે પછી જાહેર કરશે. લાલુને સતત ચોથા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યાં છે. દુમકા ટ્રેઝરી કેસ તરીકે જાણીતાં આ ઘાસચારા કૌભાંડમાં અલબત્ત પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કરાયા છે. આ અગાઉના એક કેસમાં લાલુની સાથે મિશ્રાને પણ સજા ફટકારવામાં આવી છે. લાલુ અને અન્ય આરોપીઓની સામે વિવિધ 6 કેસો ઘાસચારા કૌભાંડના નોંધાયા છે. તેમાંથી 4માં તેઓ દોષિત ઠર્યા છે.
-
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પક્ષના સર્વેસર્વા લાલુપ્રસાદ યાદવને રાંચીની સીબીઆઇ કોર્ટ દ્ધારા વધુ એક ઘાસચારા કૌભાંડમાં કસૂરવાર ઠેરવવામાં આવ્યાં છે. જો કે કેટલા વર્ષની સજા થશે તે કોર્ટ હવે પછી જાહેર કરશે. લાલુને સતત ચોથા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યાં છે. દુમકા ટ્રેઝરી કેસ તરીકે જાણીતાં આ ઘાસચારા કૌભાંડમાં અલબત્ત પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કરાયા છે. આ અગાઉના એક કેસમાં લાલુની સાથે મિશ્રાને પણ સજા ફટકારવામાં આવી છે. લાલુ અને અન્ય આરોપીઓની સામે વિવિધ 6 કેસો ઘાસચારા કૌભાંડના નોંધાયા છે. તેમાંથી 4માં તેઓ દોષિત ઠર્યા છે.