પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ દર્શન કરવા માટે લોકોની ભીડ જામી છે. આઠ વાગ્યે તેમના દર્શન કરવા માટે સામાન્ય લોકોને જવા દેવામાં આવશે. વાજયેપીના નિધન બાદ દેશમાં રાજકીય શોક જાહેર કરી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી લોકો અટલની એક ઝલક જોવા માટે તેમના નિવાસ સ્થાને આવી પહોંચ્યા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું દિલ્હીની એમ્સમાં ગુરૂવારે સાંજે નિધન થયુ છે. અટલજીના અંતિમ દર્શન માટે સવારથી તેમન નિવાસ સ્થાને લોકોની ભીડ જામી છે. નવ વાગ્યે તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ભાજપ કાર્યાલય ખાતે લઈ જવામાં આવશે. દિલ્હીના યમુના નદીના પાસે આવેલા સ્મૃતિ સ્થળ પર સાંજે ચાર વાગ્યે અટલજીની અંતિમ વિધિ થશે. અટલજીના સ્મારક માટે 1.5 એકર જમીનની ફાળવણી કરાઇ છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ દર્શન કરવા માટે લોકોની ભીડ જામી છે. આઠ વાગ્યે તેમના દર્શન કરવા માટે સામાન્ય લોકોને જવા દેવામાં આવશે. વાજયેપીના નિધન બાદ દેશમાં રાજકીય શોક જાહેર કરી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી લોકો અટલની એક ઝલક જોવા માટે તેમના નિવાસ સ્થાને આવી પહોંચ્યા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું દિલ્હીની એમ્સમાં ગુરૂવારે સાંજે નિધન થયુ છે. અટલજીના અંતિમ દર્શન માટે સવારથી તેમન નિવાસ સ્થાને લોકોની ભીડ જામી છે. નવ વાગ્યે તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ભાજપ કાર્યાલય ખાતે લઈ જવામાં આવશે. દિલ્હીના યમુના નદીના પાસે આવેલા સ્મૃતિ સ્થળ પર સાંજે ચાર વાગ્યે અટલજીની અંતિમ વિધિ થશે. અટલજીના સ્મારક માટે 1.5 એકર જમીનની ફાળવણી કરાઇ છે.