બોલિવૂડની અભિનેત્રી શ્રીદેવી પંચતત્વમાં વિલીન થઈ છે. બુધવારે પતિ બોની કપૂરે તેમના પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી. મુંબઈના વિલે પાર્લે સેવાસમાજ સ્મશાનગૃહ ખાતે તેમનાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. તામિલનાડુથી બોલાવવામાં આવેલા પંડિતોએ અંતિમવિધિ કરી હતી. અંતિમવિધિ સમયે પતિ બોની કપૂર સાથે અર્જૂન કપૂર, દીકરી જ્હાનવી કપૂર, અનિલ કપૂર, મોહિત મારવાહ, કેટરીના કૈફ, સોનમ કપૂર સહિત અનિલ અંબાણી, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન સહિતના બોલિવૂડ સ્ટાર અને સેલિબ્રેટી હાજર રહી હતી.
ચાંદનીનો યાદગાર અભિનય કરનારી શ્રીદેવીને અંતિમ વિદાય વેળાએ દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. શ્રીદેવીને લાલ રંગની બનારસી સાડી પહેરાવામાં આવી હતી અને તેમનાં નશ્વર દેહને અંતિમ દર્શન માટે સેલિબ્રેશન સ્પોર્ટસ કલબ ખાતે રાખવામાં આવ્યું હતું.
બોલિવૂડની અભિનેત્રી શ્રીદેવી પંચતત્વમાં વિલીન થઈ છે. બુધવારે પતિ બોની કપૂરે તેમના પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી. મુંબઈના વિલે પાર્લે સેવાસમાજ સ્મશાનગૃહ ખાતે તેમનાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. તામિલનાડુથી બોલાવવામાં આવેલા પંડિતોએ અંતિમવિધિ કરી હતી. અંતિમવિધિ સમયે પતિ બોની કપૂર સાથે અર્જૂન કપૂર, દીકરી જ્હાનવી કપૂર, અનિલ કપૂર, મોહિત મારવાહ, કેટરીના કૈફ, સોનમ કપૂર સહિત અનિલ અંબાણી, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન સહિતના બોલિવૂડ સ્ટાર અને સેલિબ્રેટી હાજર રહી હતી.
ચાંદનીનો યાદગાર અભિનય કરનારી શ્રીદેવીને અંતિમ વિદાય વેળાએ દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. શ્રીદેવીને લાલ રંગની બનારસી સાડી પહેરાવામાં આવી હતી અને તેમનાં નશ્વર દેહને અંતિમ દર્શન માટે સેલિબ્રેશન સ્પોર્ટસ કલબ ખાતે રાખવામાં આવ્યું હતું.