વિધાનસભાની ચૂંટણીના ઢંઢેરામાં આપેલાં વચનનું પાલન કરતાં તાજેતરમાં રાજસ્થાનમાં ચૂંટાઈ આવેલી કોંગ્રેસની અશોક ગેહલોત સરકારે તેની સમકક્ષ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સરકારોની જેમ ખેડૂતોનાં દેવાં માફ કરવાની જાહેરાત કરી છે. બુધવારે અશોક ગેહલોત સરકારે જાહેરાત કરી હતી કે, રાજસ્થાનમાં ખેડૂતોના રૂપિયા બે લાખ સુધીની લોન માફ કરી દેવાશે. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે સરકારની તિજોરી પર રૂપિયા ૧૮,૦૦૦ કરોડનો બોજો પડશે. રાજસ્થાન સરકારે ખેડૂતો દ્વારા લેવાયેલી ૩૦ નવેમ્બર ૨૦૧૮ સુધીની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાનો નિર્ણય લીધો છે.
વિધાનસભાની ચૂંટણીના ઢંઢેરામાં આપેલાં વચનનું પાલન કરતાં તાજેતરમાં રાજસ્થાનમાં ચૂંટાઈ આવેલી કોંગ્રેસની અશોક ગેહલોત સરકારે તેની સમકક્ષ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સરકારોની જેમ ખેડૂતોનાં દેવાં માફ કરવાની જાહેરાત કરી છે. બુધવારે અશોક ગેહલોત સરકારે જાહેરાત કરી હતી કે, રાજસ્થાનમાં ખેડૂતોના રૂપિયા બે લાખ સુધીની લોન માફ કરી દેવાશે. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે સરકારની તિજોરી પર રૂપિયા ૧૮,૦૦૦ કરોડનો બોજો પડશે. રાજસ્થાન સરકારે ખેડૂતો દ્વારા લેવાયેલી ૩૦ નવેમ્બર ૨૦૧૮ સુધીની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાનો નિર્ણય લીધો છે.