Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્ય પ્રદેશમાં આજે શિવરાજ સિંહ ચૌહાણની સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજભવનમાં કુલ 28 નવા મંત્રીઓને શપથ અપાવ્યા હતા. કોંગ્રેસની કમલનાથ સરકાર અલ્પમતમાં આવ્યા બાદ શિવરાજ સિંગે 23 માર્ચે જ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તે સમયે કેટલાક જ મંત્રીઓને મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા.
આજે કુલ 28 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં 20 કેબિનેટ મંત્રીઓ અને 8 રાજ્યમંત્રીઓ સામેલ છે. જેમાં ગોપાલ ભાર્ગવ, વિજય શાહ, યશોધરા રાજે સિંધિયા સહિત અનેક મોટા નેતાઓ સામેલ છે.

આ સિવાય સિંધિયા સમર્થનક તુલસી સિલાવટ અને ગોવિંદ સિંહ રાજપૂત પહેલાથી જ શિવરાજ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે એપ્રિલમાં શામેલ કરી લેવામાં આવ્યા છે.

અગાઉ ગઈકાલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મધ્ય પ્રદેશના ગવર્નર તરીકે પોતાનું કામકાજ સંભાળી લીધુ હતું. તેમને ગઈકાલે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એકે મિત્તલે શપથ અપાવ્યા હતા. જે બાદ આજે આજે  તેમણે નવા મંત્રીઓને શપથ અપાવ્યા છે.

મધ્ય પ્રદેશમાં આજે શિવરાજ સિંહ ચૌહાણની સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજભવનમાં કુલ 28 નવા મંત્રીઓને શપથ અપાવ્યા હતા. કોંગ્રેસની કમલનાથ સરકાર અલ્પમતમાં આવ્યા બાદ શિવરાજ સિંગે 23 માર્ચે જ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તે સમયે કેટલાક જ મંત્રીઓને મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા.
આજે કુલ 28 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં 20 કેબિનેટ મંત્રીઓ અને 8 રાજ્યમંત્રીઓ સામેલ છે. જેમાં ગોપાલ ભાર્ગવ, વિજય શાહ, યશોધરા રાજે સિંધિયા સહિત અનેક મોટા નેતાઓ સામેલ છે.

આ સિવાય સિંધિયા સમર્થનક તુલસી સિલાવટ અને ગોવિંદ સિંહ રાજપૂત પહેલાથી જ શિવરાજ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે એપ્રિલમાં શામેલ કરી લેવામાં આવ્યા છે.

અગાઉ ગઈકાલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મધ્ય પ્રદેશના ગવર્નર તરીકે પોતાનું કામકાજ સંભાળી લીધુ હતું. તેમને ગઈકાલે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એકે મિત્તલે શપથ અપાવ્યા હતા. જે બાદ આજે આજે  તેમણે નવા મંત્રીઓને શપથ અપાવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ