ગુજરાત શિક્ષણ બોર્ડની એક ગંભીર બેદરકારી સામે આવી છે. અંગ્રેજી માધ્યમના ધોરણ 12ના પુસ્તક ઈન્ટ્રોડક્શન ટુ સંસ્કૃત લિટ્રેચરના પાના નંબર 106 ઉપર રામાયણમાં સીતાનું અપહરણ રાવણને બદલે રામે કર્યું હોવાનું લખાયું છે. રામ દ્વારા દ્વારા સીતાનું અપહરણ કરાયા પછી લક્ષ્મણ દ્વારા રામને આપવામાં આવેલા સંદેશનું હૃદયસ્પર્શી વર્ણન તેવા લખાણ સાથે આ વાક્ય લખાયું છે. અંગ્રેજીમાં છબરડો થયો છે.