આજે બપોર સુધીમાં દુબઈથી દિવંગત અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવદેહ મુંબઈ પહોંચી શકશે તેમ જાણવા મળે છે. દુબઈ સત્તાવાળાઓ દ્વારા મરણ દાખલો કાઢવામાં આવે ત્યાર પછી જ તેમના પાર્થિવદેહને અંબાણીના જેટમાં મુંબઈ લાવી શકાશે. પીએમ રીપોર્ટ પછી જ મરણ દાખલો કાઢવામાં આવશે. શ્રીદેવીનો પરિવાર દુબઈમાં હાજર છે.