તામિલનાડુની દ્રવિડ રાજનીતિનો ચમકતો સિતારો એવા એમકે કરુણાનિધિનું મંગળવારે સાંજે ૬.૧૦ કલાકે ચેન્નઇ સ્થિત કાવેરી હોસ્પિટલમાં ૯૪ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. રાજ્યના પાંચ વાર સીએમ રહી ચૂકેલા ડીએમકે સુપ્રીમો કરુણાનિધિને બુધવારે સાંજે ૭ કલાકે વિખ્યાત મરીના બીચ પર આવેલી તેમના રાજકીય ગુરુ અન્નાદુરાઇનાં સમાધિસ્થળમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. સેના, એરફોર્સ અને નેવીના જવાનોએ કરુણાનિધિનાં માનમાં માર્ચપાસ્ટ કરી હતી.
તામિલનાડુની દ્રવિડ રાજનીતિનો ચમકતો સિતારો એવા એમકે કરુણાનિધિનું મંગળવારે સાંજે ૬.૧૦ કલાકે ચેન્નઇ સ્થિત કાવેરી હોસ્પિટલમાં ૯૪ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. રાજ્યના પાંચ વાર સીએમ રહી ચૂકેલા ડીએમકે સુપ્રીમો કરુણાનિધિને બુધવારે સાંજે ૭ કલાકે વિખ્યાત મરીના બીચ પર આવેલી તેમના રાજકીય ગુરુ અન્નાદુરાઇનાં સમાધિસ્થળમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. સેના, એરફોર્સ અને નેવીના જવાનોએ કરુણાનિધિનાં માનમાં માર્ચપાસ્ટ કરી હતી.