સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં રવિવારે બપોરના સમયે એકાએક ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રજાનો દિવસ હોવાથી જ્યારે મોટાભાગના લોકો આરામમાં હતાં તે સમયે જ ભૂકંપ આવતાં નાસભાગ મચી હતી. જાન-માલના નુકસાનના કોઈ અહેવાલ નથી. લોકોમાં ભયનો માહોલ છે પરંતુ તંત્ર દ્વારા નાગરિકોને અફવાથી દૂર રહેવા જણાવાયું છે.