-
ગુજરાત વિધાનસભામાં આજે પાટણ અત્મ વિલોપન ઘટનાને લઇને અપેક્ષા મુજબ જ હો-હા મચી ગઇ હતી. વિધાનસભામાં આજના એજન્ડામાં પાટણના કિસ્સાની ચર્ચા થવાની હતી. આ મામલે જ્યારે દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી બોલવા માટે ઉભા થયા ત્યારે તેમનું માઇક બંધ હોવાનું જણાયું હતું. મેવાણીએ આ અંગે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે આરોપો મૂકતાં કહ્યું કે અધ્યક્ષ તટસ્થતાને બદલે ભાજપના પ્રતિનિધિ તરીકે ગૃહમાં વર્તી રહ્યાં છે જે અધ્યક્ષપદની ગરિમા માટે લાંછનરૂપ છે. મારૂ માઇક બંધ કરવાનો પ્રયાસ એ દલિતોનો અવાજ બંધ કરવાનો પ્રયાસ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે તેનો જવાબ આપવો પડશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ કહ્યું કે ભાજપ સરકારમાં થાનગઢ હત્યાકાંડ, ઉના કાંડની જેમ પાટણકાંડમાંપણ કોઇની સામે પગલા નહીં લેવાય એમ જણાઇ રહ્યું છે.
-
ગુજરાત વિધાનસભામાં આજે પાટણ અત્મ વિલોપન ઘટનાને લઇને અપેક્ષા મુજબ જ હો-હા મચી ગઇ હતી. વિધાનસભામાં આજના એજન્ડામાં પાટણના કિસ્સાની ચર્ચા થવાની હતી. આ મામલે જ્યારે દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી બોલવા માટે ઉભા થયા ત્યારે તેમનું માઇક બંધ હોવાનું જણાયું હતું. મેવાણીએ આ અંગે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે આરોપો મૂકતાં કહ્યું કે અધ્યક્ષ તટસ્થતાને બદલે ભાજપના પ્રતિનિધિ તરીકે ગૃહમાં વર્તી રહ્યાં છે જે અધ્યક્ષપદની ગરિમા માટે લાંછનરૂપ છે. મારૂ માઇક બંધ કરવાનો પ્રયાસ એ દલિતોનો અવાજ બંધ કરવાનો પ્રયાસ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે તેનો જવાબ આપવો પડશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ કહ્યું કે ભાજપ સરકારમાં થાનગઢ હત્યાકાંડ, ઉના કાંડની જેમ પાટણકાંડમાંપણ કોઇની સામે પગલા નહીં લેવાય એમ જણાઇ રહ્યું છે.