હિમાચલ પ્રદેશમાં મતદાનને હવે બે જ દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપે પ્રચાર માટે અંતીમ પ્રયાસો કર્યા છે. આ દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ રેલીઓને સંબોધી હતી. તેઓએ હિમાચલના પાવંટા સાહિબમાં કોંગ્રેસની રેલીને સંબોધતી વેળાએ ગીતાના એક ઉપદેશને ટાંક્યુ હતુ અને જણાવ્યું હતું કે ગીતામાં લખ્યું છે કે કામ કરો અને ફળની ચિંતા ન કરો. જોકે મોદીજી આનાથી ઉલટુ કરે છે. મોદીજી કહે છે કે ફળ બધા ખાઇ જાવ અને કામની ચિંતા ન કરો.
હિમાચલ પ્રદેશમાં મતદાનને હવે બે જ દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપે પ્રચાર માટે અંતીમ પ્રયાસો કર્યા છે. આ દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ રેલીઓને સંબોધી હતી. તેઓએ હિમાચલના પાવંટા સાહિબમાં કોંગ્રેસની રેલીને સંબોધતી વેળાએ ગીતાના એક ઉપદેશને ટાંક્યુ હતુ અને જણાવ્યું હતું કે ગીતામાં લખ્યું છે કે કામ કરો અને ફળની ચિંતા ન કરો. જોકે મોદીજી આનાથી ઉલટુ કરે છે. મોદીજી કહે છે કે ફળ બધા ખાઇ જાવ અને કામની ચિંતા ન કરો.