ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ૧૫થી ૧૭મી જુલાઈ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્રિય પ્રચારકોની એક ત્રિદિવસીય વાર્ષિક બેઠકના ભાગરૂપે સંઘના વડા અને સરસંઘચાલક મોહન ભાગવત ગુરુવારે સોમનાથ પહોંચ્યા હતા. તેમણે સોમનાથ મંદિરે પૂજા કરી હતી. તેમની સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી એવા કેશુભાઈ પટેલ તેમની સાથે પણ જોડાયા હતા.