વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં બારે મેઘખાંગા થતા છેલ્લા ૩૪ કલાકમાં ૧૫ ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તાલુકાના સંજાણના મુખ્ય માર્ગ પરની બાજુના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. સંજાણ બુનાટપાડા વિસ્તારમાં આવેલા ૨૨ કાચા મકાનોને અસર થતા અહીં રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડાયા હતા. ઉમરગામ તાલુકામાં તુંબ પાસે ટ્રેક નજીકની માટી ધસી પડવા સાથે સંજાણ અને ઉમરગામ સ્ટેશને ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનો દોઢથી બે કલાક મોડી દોડી હતી.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં બારે મેઘખાંગા થતા છેલ્લા ૩૪ કલાકમાં ૧૫ ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તાલુકાના સંજાણના મુખ્ય માર્ગ પરની બાજુના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. સંજાણ બુનાટપાડા વિસ્તારમાં આવેલા ૨૨ કાચા મકાનોને અસર થતા અહીં રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડાયા હતા. ઉમરગામ તાલુકામાં તુંબ પાસે ટ્રેક નજીકની માટી ધસી પડવા સાથે સંજાણ અને ઉમરગામ સ્ટેશને ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનો દોઢથી બે કલાક મોડી દોડી હતી.