ભારતમાં જીવલેણ કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે સરકારના શક્ય એટલા તમામ પ્રયત્ન છતાં દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસથી સતત 24 હજારથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 24248 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 425 લોકોના મરણ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 6,97,413 પર પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 19,963 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં કોરોનાના 2,53,287 એક્ટિવ કેસો છે. જો કે ભારત માટે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોમાંથી 4,24,433 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
ભારતમાં જીવલેણ કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે સરકારના શક્ય એટલા તમામ પ્રયત્ન છતાં દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસથી સતત 24 હજારથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 24248 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 425 લોકોના મરણ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 6,97,413 પર પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 19,963 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં કોરોનાના 2,53,287 એક્ટિવ કેસો છે. જો કે ભારત માટે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોમાંથી 4,24,433 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.