નાફેડના ચેરમેન વાઘજી બોડાએ ટંકારામાં એવો ઘટસ્ફોટ કર્યો છે કે, ૪૦ ગોડાઉનોમાં મગફળીની સાથે ઢેફાની મિલાવટ છે. મગફળી કૌભાંડમાં ભાજપના કૃષિમંત્રી આર.સી. ફળદુ આડેધડ સમજ્યા વગર નિવેદનો કરે છે. જો સરકાર દુધે ધોયેલી હોઈ અને નાફેક સામે પૂરાવા હોય તો સરકારે ફરિયાદ કરી બતાવવી જોઈએ. નાફેડ જવાબદાર હોઈ તો હું આત્મવિલોપન કરવા તૈયાર છું. ટંકારા ખાતે તાલુકા કોંગ્રેસની કારોબારીમાં વધુ એક રહસ્યસ્ફોટ કરતા જણાવ્યું હતું કે, સરકારે ફડચામાં ગયેલી સહકારી સંસ્થાઓને કામ સોંપતા આ કૌભાંડ થયું છે.
નાફેડના ચેરમેન વાઘજી બોડાએ ટંકારામાં એવો ઘટસ્ફોટ કર્યો છે કે, ૪૦ ગોડાઉનોમાં મગફળીની સાથે ઢેફાની મિલાવટ છે. મગફળી કૌભાંડમાં ભાજપના કૃષિમંત્રી આર.સી. ફળદુ આડેધડ સમજ્યા વગર નિવેદનો કરે છે. જો સરકાર દુધે ધોયેલી હોઈ અને નાફેક સામે પૂરાવા હોય તો સરકારે ફરિયાદ કરી બતાવવી જોઈએ. નાફેડ જવાબદાર હોઈ તો હું આત્મવિલોપન કરવા તૈયાર છું. ટંકારા ખાતે તાલુકા કોંગ્રેસની કારોબારીમાં વધુ એક રહસ્યસ્ફોટ કરતા જણાવ્યું હતું કે, સરકારે ફડચામાં ગયેલી સહકારી સંસ્થાઓને કામ સોંપતા આ કૌભાંડ થયું છે.