ઉત્તર ભારતમાં ધોધમાર વરસાદ અને પૂરની સ્થિતિએ ભારે બેહાલી સર્જી છે. હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબમાં ૪૨થી વધુ લોકોનાં મોત થયાં છે. જ્યારે અનેક લોકો પૂરમાં તણાઈ ગયા છે કે લાપતા થયા છે. દિલ્હીમાં યમુનાએ ભયજનક સપાટી વટાવતા પૂરનો ખતરો સર્જાયો છે. હિમાચલના લાહોલ સ્પિતિ અને ચંબામાં બરફવર્ષા થતા સ્થિતિ વકરી છે અને ૫૦૦થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશમાં અનેક નદીઓ ગાંડીતૂર થતા પૂરની ચેતવણી આપવામાં આવી છે. હિમાચલ, મધ્યપ્રદેશ સહિત ૧૭ રાજ્યોમાં હવામાન ખાતા દ્વારા ધોધમાર વરસાદની ચેતવણી અપાઈ છે.
ઉત્તર ભારતમાં ધોધમાર વરસાદ અને પૂરની સ્થિતિએ ભારે બેહાલી સર્જી છે. હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબમાં ૪૨થી વધુ લોકોનાં મોત થયાં છે. જ્યારે અનેક લોકો પૂરમાં તણાઈ ગયા છે કે લાપતા થયા છે. દિલ્હીમાં યમુનાએ ભયજનક સપાટી વટાવતા પૂરનો ખતરો સર્જાયો છે. હિમાચલના લાહોલ સ્પિતિ અને ચંબામાં બરફવર્ષા થતા સ્થિતિ વકરી છે અને ૫૦૦થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશમાં અનેક નદીઓ ગાંડીતૂર થતા પૂરની ચેતવણી આપવામાં આવી છે. હિમાચલ, મધ્યપ્રદેશ સહિત ૧૭ રાજ્યોમાં હવામાન ખાતા દ્વારા ધોધમાર વરસાદની ચેતવણી અપાઈ છે.