ભ્રષ્ટાચાર અને ક્રિમિનલ કેસોમાં સુનાવણી પર લાંબા સમયના મનાઇહુકમ પ્રાપ્ત કરી આરોપીઓ દ્વારા ન્યાયની પ્રક્રિયામાં થતા વિલંબને હતોત્સાહ કરી ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાના એક પ્રયાસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે એક ચુકાદામાં જણાવ્યું હતું કે, ખટલાની સુનાવણી પરનો મનાઇહુકમ ૬ મહિનાથી વધુ હોવો જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, નીચલી અદાલતો છ મહિનાના સમયગાળા બાદ કાર્યવાહી આગળ વધારી શકે છે જેથી આરોપીઓ કેસની સુનાવણી લાંબો સમય વિલંબમાં નાખી શકે નહીં.
ભ્રષ્ટાચાર અને ક્રિમિનલ કેસોમાં સુનાવણી પર લાંબા સમયના મનાઇહુકમ પ્રાપ્ત કરી આરોપીઓ દ્વારા ન્યાયની પ્રક્રિયામાં થતા વિલંબને હતોત્સાહ કરી ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાના એક પ્રયાસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે એક ચુકાદામાં જણાવ્યું હતું કે, ખટલાની સુનાવણી પરનો મનાઇહુકમ ૬ મહિનાથી વધુ હોવો જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, નીચલી અદાલતો છ મહિનાના સમયગાળા બાદ કાર્યવાહી આગળ વધારી શકે છે જેથી આરોપીઓ કેસની સુનાવણી લાંબો સમય વિલંબમાં નાખી શકે નહીં.