ભાવનગર જિલ્લામાં મંગળવારે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં 30નાં મોત થયાં છે. ભાવનગર રાજકોટ હાઇવે રંઘોળા નજીક એક ટ્રક નાળામાં ખાબકતાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે અને 26થી વધુનાં મોતથી સમગ્ર જિલ્લામાં અરેરાટી ફેલાઈ છે. બનાવની જાણ થતાં જ પોલીસ અને 108નો કાફલો પહોંચ્યો હતો. ગાંધીનગરથી મુખ્યમંત્રી કાર્યાલયે પણ બનાવની માહિતી મંગાવી રાહત અને બચાવ કામગીરીના આદેશ આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઇજાગ્રસ્તોને શિહોર અને ભાવનગર સહિત નજીકના સ્થળોએ સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યાં છે.
ભાવનગર જિલ્લામાં મંગળવારે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં 30નાં મોત થયાં છે. ભાવનગર રાજકોટ હાઇવે રંઘોળા નજીક એક ટ્રક નાળામાં ખાબકતાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે અને 26થી વધુનાં મોતથી સમગ્ર જિલ્લામાં અરેરાટી ફેલાઈ છે. બનાવની જાણ થતાં જ પોલીસ અને 108નો કાફલો પહોંચ્યો હતો. ગાંધીનગરથી મુખ્યમંત્રી કાર્યાલયે પણ બનાવની માહિતી મંગાવી રાહત અને બચાવ કામગીરીના આદેશ આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઇજાગ્રસ્તોને શિહોર અને ભાવનગર સહિત નજીકના સ્થળોએ સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યાં છે.