શ્રીલંકામાં રવિવારે ઇસ્ટરના પર્વ પર કોલંબો સહિત 3 શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત 8 જગ્યાએ બ્લાસ્ટ થયા હતા. જેમાં 35 વિદેશીઓ સહિત 265 લોકોનાં મોત થયા છે જેમા 4 ભારતીયો પણ સામેલ છે. જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના દાવા મુજબ આ વિસ્ફોટમાં સામેલ 13 જેટલાં સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર શ્રીલંકામાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. જે આગામી આદેશ સુધી અમલમાં રહેશે. સાથે જ સુરક્ષા દળોને આગામી 10 દિવસો સુધી હાઇ એલર્ટ પર રાખવાના આદેશ છે. ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તાત્કાલિક અસરે રોક લગાવવામાં આવી છે.
શ્રીલંકામાં રવિવારે ઇસ્ટરના પર્વ પર કોલંબો સહિત 3 શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત 8 જગ્યાએ બ્લાસ્ટ થયા હતા. જેમાં 35 વિદેશીઓ સહિત 265 લોકોનાં મોત થયા છે જેમા 4 ભારતીયો પણ સામેલ છે. જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના દાવા મુજબ આ વિસ્ફોટમાં સામેલ 13 જેટલાં સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર શ્રીલંકામાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. જે આગામી આદેશ સુધી અમલમાં રહેશે. સાથે જ સુરક્ષા દળોને આગામી 10 દિવસો સુધી હાઇ એલર્ટ પર રાખવાના આદેશ છે. ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તાત્કાલિક અસરે રોક લગાવવામાં આવી છે.