મ્યાનમારનાં કચિન વિસ્તારમાં ભારે વરસાદને કારણે ગુરૂવારનાં રોજ સવારે એકાએક જમીન ધસી પડી. આ દુર્ઘટનામાં 113 મજૂરોનાં મોત થયાં છે જ્યારે અનેક લોકો અન્ય આ કાટમાળમાં દટાયા છે. મ્યાનમાર ફાયર બ્રિગેડે જાણકારી આપી છે કે હાલમાં 113 જેટલાં મૃતદેહોને કાટમાળમાંથી બહાર નીકાળવામાં આવ્યાં છે જ્યારે અન્ય લોકોની શોધખોળ શરૂ છે.
વધી શકે છે મૃતકોનો આંકડો
સૂચના મંત્રાલયનાં એક સ્થાનીય અધિકારી ટાર લિન માઉંગે જણાવ્યું કે, “હજી સુધી અમે 100થી પણ વધારે મૃતદેહો જપ્ત કર્યા છે. હજી વધારે મૃતદેહો કાદવમાં ફસાયેલા છે. મૃતકોની સંખ્યામાં હજી પણ વધારો થઇ શકે છે. આ વિસ્તારમાં છેલ્લાં એક સપ્તાહથી ભારે વરસાદ થઇ રહ્યો છે જેનાંથી બચાવ કાર્યમાં પણ પરેશાની પેદા થઇ રહી છે.
મ્યાનમારનાં કચિન વિસ્તારમાં ભારે વરસાદને કારણે ગુરૂવારનાં રોજ સવારે એકાએક જમીન ધસી પડી. આ દુર્ઘટનામાં 113 મજૂરોનાં મોત થયાં છે જ્યારે અનેક લોકો અન્ય આ કાટમાળમાં દટાયા છે. મ્યાનમાર ફાયર બ્રિગેડે જાણકારી આપી છે કે હાલમાં 113 જેટલાં મૃતદેહોને કાટમાળમાંથી બહાર નીકાળવામાં આવ્યાં છે જ્યારે અન્ય લોકોની શોધખોળ શરૂ છે.
વધી શકે છે મૃતકોનો આંકડો
સૂચના મંત્રાલયનાં એક સ્થાનીય અધિકારી ટાર લિન માઉંગે જણાવ્યું કે, “હજી સુધી અમે 100થી પણ વધારે મૃતદેહો જપ્ત કર્યા છે. હજી વધારે મૃતદેહો કાદવમાં ફસાયેલા છે. મૃતકોની સંખ્યામાં હજી પણ વધારો થઇ શકે છે. આ વિસ્તારમાં છેલ્લાં એક સપ્તાહથી ભારે વરસાદ થઇ રહ્યો છે જેનાંથી બચાવ કાર્યમાં પણ પરેશાની પેદા થઇ રહી છે.