રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપતો ૧૨૩મો બંધારણીય સુધારા ખરડો સોમવારે રાજ્યસભામાં પસાર કરી દેવાયો હતો. આ સાથે પંચને અન્ય બંધારણીય દરજ્જો ધરાવતા પંચોની જેમ સત્તા હાંસલ થઈ જશે. સોમવારે ઓબીસી બિલ તરીકે ઉલ્લેખ કરાયેલ ખરડો પસાર કરી દેવાયો હતો. ઓબીસી ખરડો પસાર થતાં રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને અન્ય પછાતવર્ગોનાં હિતોની સુરક્ષા માટે તમામ સત્તા હાંસલ થઈ છે, જેને પગલે હવે ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં દાવો કરી શકશે કે તે પછાતવર્ગોનો હામી છે, જોકે રાષ્ટ્રીય પછાતવર્ગ પંચ દ્વારા અપાયેલાં સૂચનો રાજ્યોને બંધનકર્તા રહેશે નહીં.
રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને બંધારણીય દરજ્જો આપતો ૧૨૩મો બંધારણીય સુધારા ખરડો સોમવારે રાજ્યસભામાં પસાર કરી દેવાયો હતો. આ સાથે પંચને અન્ય બંધારણીય દરજ્જો ધરાવતા પંચોની જેમ સત્તા હાંસલ થઈ જશે. સોમવારે ઓબીસી બિલ તરીકે ઉલ્લેખ કરાયેલ ખરડો પસાર કરી દેવાયો હતો. ઓબીસી ખરડો પસાર થતાં રાષ્ટ્રીય પછાતવર્ગ પંચને અન્ય પછાતવર્ગોનાં હિતોની સુરક્ષા માટે તમામ સત્તા હાંસલ થઈ છે, જેને પગલે હવે ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં દાવો કરી શકશે કે તે પછાતવર્ગોનો હામી છે, જોકે રાષ્ટ્રીય પછાતવર્ગ પંચ દ્વારા અપાયેલાં સૂચનો રાજ્યોને બંધનકર્તા રહેશે નહીં.