સરકારે મોટા એનપીએ ડિફોલ્ટર્સની કોઇ લોન માફ કરી નથી તેમ નાણાપ્રધાન અરુણ જેટલીએ આજે જણાવ્યું હતું. બેંકો દ્વારા મૂડીવાદીઓની લોન માફ કરવામાં આવી હોવાના અહેવાલોને નાણા પ્રધાને ફગાવી દીધા છે. પોતાના બ્લોગમાં જેટલીએ લખ્યું છે કે છેલ્લા કેટલાક દિવસથી એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે બેંકો દ્વારા મૂડીવાદીઓની લોન માફ કરી દેવામાં આવી છે.
સરકારે મોટા એનપીએ ડિફોલ્ટર્સની કોઇ લોન માફ કરી નથી તેમ નાણાપ્રધાન અરુણ જેટલીએ આજે જણાવ્યું હતું. બેંકો દ્વારા મૂડીવાદીઓની લોન માફ કરવામાં આવી હોવાના અહેવાલોને નાણા પ્રધાને ફગાવી દીધા છે. પોતાના બ્લોગમાં જેટલીએ લખ્યું છે કે છેલ્લા કેટલાક દિવસથી એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે બેંકો દ્વારા મૂડીવાદીઓની લોન માફ કરી દેવામાં આવી છે.