-
આજે 15 નવે.થી જીએસટીના નવા દરોનો અમલ શરૂ થયો છે. જે અનુસાર 178 વિવિધ ચીજ-વસ્તુઓ હવે 28 ટકાને બદલે 18 ટકામાં હોવાથી ગ્રાહકોને તેમાં 10 ટકાની રાહત થશે. જીએસટી કાઉન્સિલના નિર્ણય અનુસાર,હવે માત્ર 50 જેટલી વિવિધ ચીજવસ્તુઓ જ 28 ટકાના ઉંચા સ્લેબમાં છે. જેમાં મોટા ભાગની લક્ઝુરીયસ ચીજોનો સમાવેશ થાય છે.