નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ અમરનાથ યાત્રાધામને લઇને ફરી એકવાર ચર્ચિત બન્યું છે. એનજીટીએ અમરનાથ યાત્રાધામમાં જયજયકાર કરનારા અને મંત્રોચ્ચારના ઉચ્ચારણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત અમરનાથ યાત્રાધામને સાઇલન્સ ઝોન જાહેર કરવાનો આદેશ આપ્યો છે. એનજીટીએ આ બાબતે કહ્યું હતું કે, અમરનાથ યાત્રાધામનું પર્યાવરણ અતિસંવેદનશીલ છે. આ એરિયામાં હિમશિલાની સંવાદનશીલતાને ધ્યાને લઇ બૂમ-બરાડા ન થવા જોઇએ અને યાત્રીઓની સંખ્યા પણ સીમિત કરવી જોઇએ. આ મામલે એનજીટી વિવાદના વંટોળમાં અટવાયું છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ અમરનાથ યાત્રાધામને લઇને ફરી એકવાર ચર્ચિત બન્યું છે. એનજીટીએ અમરનાથ યાત્રાધામમાં જયજયકાર કરનારા અને મંત્રોચ્ચારના ઉચ્ચારણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત અમરનાથ યાત્રાધામને સાઇલન્સ ઝોન જાહેર કરવાનો આદેશ આપ્યો છે. એનજીટીએ આ બાબતે કહ્યું હતું કે, અમરનાથ યાત્રાધામનું પર્યાવરણ અતિસંવેદનશીલ છે. આ એરિયામાં હિમશિલાની સંવાદનશીલતાને ધ્યાને લઇ બૂમ-બરાડા ન થવા જોઇએ અને યાત્રીઓની સંખ્યા પણ સીમિત કરવી જોઇએ. આ મામલે એનજીટી વિવાદના વંટોળમાં અટવાયું છે.