જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ થવાની સાથે જ સુરક્ષા બળોએ પણ આતંકની વિરૂદ્ધ પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. આ અંગે સેના અધ્યક્ષ બિપિન રાવત અને રાજ્યના પોલીસ વડા એસ પી વૈદ્યે નિવેદન આપ્યું હતું કે રાજ્યપાલ શાસન ભલે હોય તેની આતંકીઓ સામેની કાર્યવાહી પર કોઈ અસર નહીં પડે. કાશ્મીરમાં આતંકી હુમલા વધ્યા છે ત્યારે આ નિવેદન મહત્વપૂર્ણ મનાય છે.