પશ્ચિમ બંગાળમાં ભાજપની રથયાત્રાને મમતા બેનરજીની સરકાર દ્વારા મંજૂરી આપવામાં નહીં આવતાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે મામલો બિચક્યો છે. ભાજપપ્રમુખ અમિત શાહે હુંકાર કરીને કહ્યું છે કે, અમે પશ્ચિમ બંગાળમાં ત્રણેય રથયાત્રા યોજીશું, અમને કોઈ રોકી શકશે નહીં. મમતા ભાજપથી ડરી ગયાં છે અને ભાજપના કાર્યક્રમોમાં અવરોધો સર્જી રહ્યાં છે. રાજ્ય સરકારે ગુરુવારે ભાજપની રેલીને પગલે હિંસા ભડકવાની શંકા વ્યક્ત કરતાં કલકત્તા હાઇકોર્ટે ભાજપને રેલી યોજવા પરવાનગી આપી નહોતી. આ પછી અમિત શાહે કૂચબિહારની તેમની મુલાકાત રદ કરી હતી અને નવી દિલ્હીમાં પ્રેસકોન્ફરન્સમાં મમતાને પશ્ચિમ બંગાળમાં રેલી યોજવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. શાહે કહ્યું કે રેલીને હાલ પાછી ઠેલવામાં આવી છે પણ રદ કરાઈ નથી, અમને ત્રણેય રેલી યોજતાં કોઈ રોકી શકશે નહીં.
પશ્ચિમ બંગાળમાં ભાજપની રથયાત્રાને મમતા બેનરજીની સરકાર દ્વારા મંજૂરી આપવામાં નહીં આવતાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે મામલો બિચક્યો છે. ભાજપપ્રમુખ અમિત શાહે હુંકાર કરીને કહ્યું છે કે, અમે પશ્ચિમ બંગાળમાં ત્રણેય રથયાત્રા યોજીશું, અમને કોઈ રોકી શકશે નહીં. મમતા ભાજપથી ડરી ગયાં છે અને ભાજપના કાર્યક્રમોમાં અવરોધો સર્જી રહ્યાં છે. રાજ્ય સરકારે ગુરુવારે ભાજપની રેલીને પગલે હિંસા ભડકવાની શંકા વ્યક્ત કરતાં કલકત્તા હાઇકોર્ટે ભાજપને રેલી યોજવા પરવાનગી આપી નહોતી. આ પછી અમિત શાહે કૂચબિહારની તેમની મુલાકાત રદ કરી હતી અને નવી દિલ્હીમાં પ્રેસકોન્ફરન્સમાં મમતાને પશ્ચિમ બંગાળમાં રેલી યોજવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો. શાહે કહ્યું કે રેલીને હાલ પાછી ઠેલવામાં આવી છે પણ રદ કરાઈ નથી, અમને ત્રણેય રેલી યોજતાં કોઈ રોકી શકશે નહીં.