-
સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરના બરાનપુરા ભારતી વિદ્યાલયમાં ધો. 9મા ભણતા વિદ્યાર્થીની બીજા વિદ્યાર્થીએ છરાના ઘા મારીને કરપીણ હત્યા કરતાં ભારે સનસનાટી મચી છે. હરિયાણાની રેયન સ્કૂલમાં પણ આ જ રીતે પ્રદ્યુમન નામના એક વિદ્યાર્થીની હત્યાએ સમાજમાં ભારે ઉહાપોહ મચાવ્યો હતો. ભારતી વિદ્યાલયના ધો. 9મા ભણતાં દેવ નામના વિદ્યાર્થી સાથે સ્કૂલ બેગના મામલે બોલાચાલી અને ત્યારબાદ ઝગડો થતાં બીજા વિદ્યાર્થીએ દેવ પર છરાથી વાર કરીને તેની હત્યા કરા લાશને શાળાના બાથરૂમમાં મૂકી દેવાઇ હતી. દેવના પરિવારમાં ભારે આઘાત છવાયો છે. પોલીસે હત્યા કરનાર વિદ્યાર્થીની ધરપકડ કરીને ખરેખર કઇ બાબતે ઝગડો થયો અને આટલો મોટો છરો આ વિદ્યાર્થી ક્યાંથી લાવ્યો તેની તપાસ હાથ ધરી છે.
-
સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરના બરાનપુરા ભારતી વિદ્યાલયમાં ધો. 9મા ભણતા વિદ્યાર્થીની બીજા વિદ્યાર્થીએ છરાના ઘા મારીને કરપીણ હત્યા કરતાં ભારે સનસનાટી મચી છે. હરિયાણાની રેયન સ્કૂલમાં પણ આ જ રીતે પ્રદ્યુમન નામના એક વિદ્યાર્થીની હત્યાએ સમાજમાં ભારે ઉહાપોહ મચાવ્યો હતો. ભારતી વિદ્યાલયના ધો. 9મા ભણતાં દેવ નામના વિદ્યાર્થી સાથે સ્કૂલ બેગના મામલે બોલાચાલી અને ત્યારબાદ ઝગડો થતાં બીજા વિદ્યાર્થીએ દેવ પર છરાથી વાર કરીને તેની હત્યા કરા લાશને શાળાના બાથરૂમમાં મૂકી દેવાઇ હતી. દેવના પરિવારમાં ભારે આઘાત છવાયો છે. પોલીસે હત્યા કરનાર વિદ્યાર્થીની ધરપકડ કરીને ખરેખર કઇ બાબતે ઝગડો થયો અને આટલો મોટો છરો આ વિદ્યાર્થી ક્યાંથી લાવ્યો તેની તપાસ હાથ ધરી છે.