-
વડાપ્રધાન બન્યા બાદ અને છત્તીસગઢ સહિત 3 રાજ્યોમાં ભાજપની હાર બાદ નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના કોંગ્રેસના ગઢ અને સોનિયા ગાંધીના મજબૂત મતવિસ્તાર રાયબરેલીમાં પ્રવેશ કર્યો હતો. તેમણે આ મત વિસ્તારમાં ભાજપનું સ્થાન મજબૂત કરવા 1100 કરોડના સરકારી પ્રોજેક્ટોની જાહેરાત કરી હતી. રાયબરેલીમાં તેમણે આધુનિક રેલ કોચ ફેક્ટરીની મુલાકાત લઇને આ કારખાનામાં તૈયાર થયેલા રેલવેના 900 ડબ્બાઓ અને હમસફર એક્સપ્રેસ ટ્રેનની રેકને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. રાયબરેલીમાં જ આયોજીત જાહેરસભામાં તેમમે કોંગ્રેસ અને તેમના નેતાઓને રાફેલ સોદાના મામલે જુઠ્ઠા ગણાવ્યાં હતા અને રાફેલ સોદામાં બોફોર્સની જેમ કોઇ ક્વોત્રીચી મામા કે ઓગસ્ટાવેસ્ટલેન્ડ ચોપર કાંડના મિશેલ અંકલ નથી એટલે કોંગ્રેસ તેનો વિરોધ કરે છે. કોંગ્રેસ આપણી સેનાને મજબૂત કરવા માંગતી નથી એવો દાવો પણ તેમણે કર્યો હતો.
-
વડાપ્રધાન બન્યા બાદ અને છત્તીસગઢ સહિત 3 રાજ્યોમાં ભાજપની હાર બાદ નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના કોંગ્રેસના ગઢ અને સોનિયા ગાંધીના મજબૂત મતવિસ્તાર રાયબરેલીમાં પ્રવેશ કર્યો હતો. તેમણે આ મત વિસ્તારમાં ભાજપનું સ્થાન મજબૂત કરવા 1100 કરોડના સરકારી પ્રોજેક્ટોની જાહેરાત કરી હતી. રાયબરેલીમાં તેમણે આધુનિક રેલ કોચ ફેક્ટરીની મુલાકાત લઇને આ કારખાનામાં તૈયાર થયેલા રેલવેના 900 ડબ્બાઓ અને હમસફર એક્સપ્રેસ ટ્રેનની રેકને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. રાયબરેલીમાં જ આયોજીત જાહેરસભામાં તેમમે કોંગ્રેસ અને તેમના નેતાઓને રાફેલ સોદાના મામલે જુઠ્ઠા ગણાવ્યાં હતા અને રાફેલ સોદામાં બોફોર્સની જેમ કોઇ ક્વોત્રીચી મામા કે ઓગસ્ટાવેસ્ટલેન્ડ ચોપર કાંડના મિશેલ અંકલ નથી એટલે કોંગ્રેસ તેનો વિરોધ કરે છે. કોંગ્રેસ આપણી સેનાને મજબૂત કરવા માંગતી નથી એવો દાવો પણ તેમણે કર્યો હતો.