-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી અરૂણ જેટલી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પક્ષના સિનિયર નેતા એલ.કે. અડવાણી આવતીકાલ 23મીએ અમદાવાદ હશે. આ તમામ મહાનુભાવો લોકસભા ચૂંટણી માટે મતદાન કરવા આવી રહ્યાં છે. મોદી સવારે 7.30 વાગે રાણીપમાં નિશાન હાઇસ્કૂલમાં મતદાન કરશે. જેટલી સવારે 9.30 વાગે એસ.જી. હાઇ વે પર ચીમનભાઇ પટેલ ઇન્સ્ટી.માં મતદાન કરશે. અડવાણી સવારે 11.15 વાગે ખાનપુરમાં ભરડિયાવાસની શાહપુર હિન્દી સ્કૂલ નં.1-2 ખાતે મતદાન કરશે. અમિત શાહ સવારે 9 વાગે નારણપુરામાં કામેશ્વર મંદિર પાસે નારણપુરા સબ ઝોનલ ઓફિસમાં મતદાન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ભાવનગરમાં, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડી ખાતે, કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા અમરેલી ખાતે અને અન્ય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકાના હણોલ ગામે મતદાન કરશે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી અરૂણ જેટલી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પક્ષના સિનિયર નેતા એલ.કે. અડવાણી આવતીકાલ 23મીએ અમદાવાદ હશે. આ તમામ મહાનુભાવો લોકસભા ચૂંટણી માટે મતદાન કરવા આવી રહ્યાં છે. મોદી સવારે 7.30 વાગે રાણીપમાં નિશાન હાઇસ્કૂલમાં મતદાન કરશે. જેટલી સવારે 9.30 વાગે એસ.જી. હાઇ વે પર ચીમનભાઇ પટેલ ઇન્સ્ટી.માં મતદાન કરશે. અડવાણી સવારે 11.15 વાગે ખાનપુરમાં ભરડિયાવાસની શાહપુર હિન્દી સ્કૂલ નં.1-2 ખાતે મતદાન કરશે. અમિત શાહ સવારે 9 વાગે નારણપુરામાં કામેશ્વર મંદિર પાસે નારણપુરા સબ ઝોનલ ઓફિસમાં મતદાન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ભાવનગરમાં, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડી ખાતે, કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા અમરેલી ખાતે અને અન્ય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકાના હણોલ ગામે મતદાન કરશે.